આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન

Tripoto
Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

15 ઓગસ્ટને ભારતના ઈતિહાસનો સૌથી ગૌરવપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો. સદીઓથી અંગ્રેજોની ગુલામીની સાંકળોમાં જકડાયેલા દેશ અને દેશવાસીઓએ ઘણી મુશ્કેલીઓ વેઠી. પોતાના જ દેશમાં ગુલામ રહેવાના કારણે, પોતાના અધિકારોથી વંચિત રહેવાને કારણે દેશવાસીઓમાં આક્રોશ ઊભો થયો અને તેમણે સ્વતંત્રતા સંગ્રામની જ્યોત પ્રગટાવી. આઝાદીની માંગ માટે ઉઠેલા અવાજોને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં હજારો અને લાખો ક્રાંતિકારીઓએ લોહી વહાવ્યું. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદ થયા. જો કે અંતે અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું અને દેશની સત્તા દેશવાસીઓના હાથમાં આવી.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

આ જીતને ઉજવણી કરવા માટે, દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે લોકો આઝાદી માટે લડનારા બહાદુર સપૂતોને યાદ કરે છે, ધ્વજ લહેરાવાની સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામી આપવામાં આવે છે. 15 ઓગસ્ટે જાહેર રજા હોય છે. આ રજાના દિવસે, તમે મિત્રો, પરિવાર કે બાળકો સાથે એવા સ્થળોની મુલાકાત લઈ શકો છો, જે દેશભક્તિની ભાવનામાં વધારો કરે અને સ્વતંત્રતાની ઉજવણીને બમણી કરી દેશે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણથી ઉત્તર ભારતમાં, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ હોય છે. આ ગૌરવપૂર્ણ દિવસે, દેશના ખૂણે ખૂણે ધ્વજવંદન થાય છે અને દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે ભારતના સુંદર અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાની એક અલગ જ મજા હોય છે. ભારતના કેટલાક સ્થળોએ, સ્વતંત્રતાની ઉજવણી એક અઠવાડિયા અગાઉથી શરૂ થઇ જાય છે.

જો તમે પણ 15 ઓગસ્ટના શુભ પ્રસંગે તમારા પરિવાર સાથે કેટલાક શ્રેષ્ઠ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માંગતા હોવ તો તમે આ સ્થળોએ પહોંચી શકો છો.

રાષ્ટ્રીય શહીદ સ્મારક, દિલ્હી

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

આ વર્ષે 15 ઓગસ્ટ મંગળવાર છે. આવી સ્થિતિમાં માત્ર એક દિવસની રજા આપવામાં આવી રહી છે. જો તમારી પાસે વધુ સમય નથી અને વધુ પૈસા ખર્ચવા નથી માંગતા, તો તમે દિલ્હીમાં જ આવા સ્થળોની મુલાકાત લઈ શકો છો, જે તમને વીર સપૂતોના બલિદાનથી વાકેફ કરે છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજારોહણ અને પરેડ જોઈ શકાય છે. તો ઇન્ડિયા ગેટ નજીકના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શકાય છે. અહીં 1947, 1962, 1971 અને 1999ના યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી શકાય છે.

અમૃતસર

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

અમૃતસર પંજાબ તેમજ ભારતનું એક એવું શહેર છે જે તેની સુંદરતા તેમજ ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. 15મી ઓગસ્ટના દિવસે ફરવા માટે આનાથી વધુ સારી જગ્યા કોઈ ન હોઇ શકે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

સ્વતંત્રતા દિવસ નિમિત્તે હજારો લોકો વાઘા-અટારી બોર્ડર પર ફરવા પહોંચે છે. સરહદ પરની પરેડ જોઈને દરેક ભારતીય ખુશ થઈ જાય છે. અમૃતસર સ્થિત જલિયાવાલા બાગમાં પણ ફરવા જઈ શકાય છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

અમૃતસરના જલિયાવાલા બાગને ઇતિહાસમાં એ કાળા દિવસ માટે હંમેશા યાદ કરવામાં આવે છે જ્યારે અંગ્રેજોએ નિઃશસ્ત્ર ભારતીયો પર ગોળીબાર કર્યો હતો. એક દર્દનાક હત્યાકાંડના અવશેષો અને નિર્દોષ ભારતીયોના લોહીના ડાઘ આજે પણ અહીંની દિવાલો પર દેખાય છે. અહીં સેંકડો શહીદોના નામે એક સ્મારક બનાવવામાં આવ્યું છે. અમૃતસરનું ગૌરવ એવા સુવર્ણ મંદિરની પણ મુલાકાત લઈ શકાય છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

જેસલમેર

રાજસ્થાન તેમજ સમગ્ર ભારતમાં 'ગોલ્ડન સિટી' તરીકે પ્રખ્યાત જેસલમેર સ્વતંત્રતા દિવસના ખાસ પ્રસંગે ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ ગણાય છે. તળાવો, સુશોભિત જૈન મંદિરો, હવેલીઓ અને મહેલો ઉપરાંત, જેસલમેર ભારત-પાકિસ્તાન સરહદ માટે ખૂબ ફેમસ છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

15 ઓગસ્ટના ખાસ પ્રસંગે તમે તમારા પરિવાર સાથે 'તનોટ બોર્ડર' બોર્ડર પર ફરવા જઈ શકો છો. અહીં યોજાનારી પરેડમાં પણ ભાગ લઈ શકાય છે. આ સિવાય તમે જેસલમેર વોર મ્યુઝિયમ, જેસલમેર ફોર્ટ, ગાદીસર લેક, સાગર લેક અને ડેઝર્ટ નેશનલ પાર્ક પણ જોઈ શકો છો.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

ચંદ્રશેખર આઝાદ પાર્ક, પ્રયાગરાજ

સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદે દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું હતું. 1931માં ચંદ્રશેખર આઝાદ પ્રયાગરાજમાં બ્રિટિશ સૈનિકો સાથે લડી રહ્યા હતા. બ્રિટિશ પોલીસે તેમને ઘેરી લીધા પણ આઝાદે અંગ્રેજોની ગોળી મરવા કરતાં પોતાની ગોળીથી મરવાનું પસંદ કર્યું. ચંદ્રશેખર આઝાદ માત્ર 25 વર્ષની વયે શહીદ થઈ ગયા હતા. તેમની યાદમાં આ જગ્યાએ એક પાર્ક બનાવવામાં આવ્યો હતો, જે ચંદ્રશેખર આઝાદ પાર્ક તરીકે ઓળખાય છે. પાર્કમાં ચંદ્રશેખર આઝાદની પ્રતિમા છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

ગેટવે ઓફ ઈન્ડિયા

જો તમે 15 ઓગસ્ટના રોજ માયા-નગરી એટલે કે મુંબઈની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે ગેટવે ઓફ ઈન્ડિયા પહોંચવું જોઈએ. સ્વતંત્રતા દિવસ પર હજારો પ્રવાસીઓ અહીં ફરવા અને ફોટોશૂટ માટે પહોંચે છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

સ્વતંત્રતા દિવસ પર ગેટવે ઓફ ઈન્ડિયાને રોશનીથી શણગારવામાં આવે છે. ગેટવે ઓફ ઈન્ડિયાને એક્સપ્લોર કરવાની સાથે સાથે તમે મરીન ડ્રાઈવ પર પરિવાર સાથે મસ્તી પણ કરી શકો છો. મુંબઈમાં તમે દરિયાના મોજાને નજીકથી અનુભવી શકો છો.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

નડાબેટ, ભારત-પાકિસ્તાન બોર્ડર

નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ પ્લેરીયા,ઓડિટોરિયમ, ફૂડ ઝોન ,વિશાળ ગાર્ડન,બાળકો માટે ગેમ ઝોન, સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે . નડાબેટ ખાતે માતા નડેશ્વરી નું મંદિર પણ 500 મીટર નજીક આવેલું છે. આ મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે, તે લાઇફમાં એક થીમ બનાવી છે સૈનિકોના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

તેઓ બોર્ડર ઉપર જે પોતાની ફરજ બજાવતા હોય છે તે દ્રશ્યો લોકોને આ મ્યુઝિયમ માધ્યમથી જોવા મળે છે. તેમજ એક 500 લોકોની કેપેસિટીનું ઓડિટોરિયમ બનાવ્યું છે. જેમાં BSFના જવાનો દ્વારા ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે. દરરોજ સાંજે 5:00 વાગે પરેડ યોજાય છે. આ ટુરિઝમ પ્રોજેકટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાની જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સાથે બાળકો માટે ગેમિંગ જોન પણ બનાવ્યું છે.જેમાં બાળકો ગેમ રમી પણ શકે છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

ટુરીઝમમાં આવતા પ્રવાસીઓ માટે કેટલી છે ટિકિટ ?

ટુરિસ્ટની એન્ટ્રી ફી એક વ્યક્તિના રૂપિયા 100 અને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના રૂપિયા 50 રખાયા છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 50 ફી રખાઇ છે.અને શાળા કોલેજના વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું ત્યાંના સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

અહીં આવતા પ્રવાસીઓ આ સમય નોંધી લો

ટુરિસ્ટ પ્રવેશ માટે સવારે 9 થી રાત્રે 7 વાગ્યા સુધી. ટિકિટ કાઉન્ટર સવારે 9:00 થી રાત્રે 6 વાગ્યા સુધી. ઝીરો પોઈન્ટ વિઝીટ માટે સવારે 9:00 થી સાંજે 4:30 વાગ્યા સુધી. જવાનો દ્વારા કરવામાં આવતી પરેડ જોવા માટે દરરોજ સૂર્યાસ્ત પહેલા.

મ્યુઝિયમમાં જોવા માટે સવારે 9:00 થી સાંજે 6 વાગ્યા સુધી. મેમોરિયલ જોવા માટે સવારે 9:00 થી સાંજે 6વાગ્યા સુધી. ફૂડ કોર્ટ સવારે 9:00 થી સાંજે 7:30 વાગ્યા સુધી. એડવેન્ચર એક્ટિવિટી સવારે 10 થી સાંજે 7:30 વાગ્યા સુધી.

એ.વી.એક્સપિરિયન્સ ઝોનમાં જવા માટે સવારે 10 થી સાંજે સાત વાગ્યા સુધી. આર્ટ ગેલેરી ને નિહાળવા માટે સવારે 10 થી સાંજે છ વાગે સુધી અને ખાસ સોમવારના દિવસે આ પ્રોજેક્ટ મેન્ટેનન્સ માટે બંધ હોય છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

અહીં રહેવા માટે કોઈજ પ્રકારની વ્યવસ્થા નથી

ખાસ કરીને અહીં આવતા ટુરિસ્ટો માટે અત્યારે કોઈ જ પ્રકારની રહેવાની વ્યવસ્થા નથી.પરંતુ આગામી સમયમાં સરકાર અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા રહેવા માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેમ છતાં અમદાવાદ,મહેસાણા, પાલનપુર સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યના લોકો શાળા કોલેજના બાળકો આ નડાબેટ બોર્ડર ની મુલાકાતે આવતા હોય છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

નડાબેટ બોર્ડર કયા સેન્ટરથી કેટલી દૂર

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ સુઈગામ તાલુકાના નડાબેટના રણમાં બનાવ્યો છે. આ બોર્ડર પાલનપુર થી 150 કિલોમીટર, ડીસાથી 100 કિલોમીટર, રાધનપુરથી 75 કિલોમીટર, અમદાવાદથી 270 કિલોમીટર દૂર છે.

Photo of આ જગ્યાએ મનાવો ભારતના આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads