વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા

Tripoto
Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

મધ્ય પ્રદેશનું વિદિશા એક પ્રાચીન શહેર છે. પુરાણોમાં પણ વિદિશા નગરીનો ઉલ્લેખ છે. આ શહેરમાં ઘણા ધાર્મિક સ્થળો અને મંદિરો હોવા છતાં, ચરણ તીર્થ તેમાંનું એક મુખ્ય ધાર્મિક સ્થળ છે. ખાસ વાત એ છે કે અહીં ભગવાન રામના સ્વરૂપની પૂજા નથી થતી પરંતુ તેમના ચરણોની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને તેનો આકાર ભગવાન શંકરની પિંડીના આકાર જેવો છે. આ સ્થાન વિશે એવું પણ કહેવાય છે કે અહીં શ્રી રામજીના ચરણ પડ્યા હતા, તેથી આ સ્થાનને ચરણ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમને શ્રી રામ જીની ચરણ પાદુકા પણ જોવા મળશે. અહીં આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ જગ્યા ખૂબ જ સુંદર છે. આ એક ઘણો મોટો ટાપુ છે અને અહીં વૃક્ષો અને છોડ છે. લોકો અહીં નહાવાની પણ મજા માણે છે. અહીં બેતવા નદીનો ખૂબ જ સુંદર નજારો જોઈ શકાય છે. ચરણ તીર્થ શનિદેવ મંદિરની બાજુમાં આવેલું છે. અહીં મુક્તિધામ પણ બનેલું છે. જ્યાં લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ ટાપુમાં એક પ્રાચીન સ્મારક પણ જોઈ શકાય છે. આ સ્મારક અહીં ખંડેર હાલતમાં છે.

ચ્યવન ઋષિના આશ્રમમાં આવ્યા હતા શ્રી રામ

Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

ભગવાન શ્રી રામચંદ્ર, સીતા અને લક્ષ્મણ જ્યારે અયોધ્યાથી પોતાનું રાજ્ય છોડીને વનવાસ પર ગયા ત્યારે તેઓએ ઉત્તર પ્રદેશથી લંકા સુધી સેંકડો સ્થળોની મુલાકાત લીધી અને ઘણી જગ્યાએ રોકાયા. 14 વર્ષના વનવાસ દરમિયાન આજે પણ આવા સેંકડો સ્થળો મોજૂદ છે, જે તીર્થસ્થળો બની ગયા છે.

ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાંથી પસાર થયા હતા. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તેઓ વિદિશામાંથી પણ પસાર થયા હતા, કારણ કે અહીં ભગવાનના પગના નિશાન છે, જે આજે ચરણતીર્થ તરીકે પ્રખ્યાત છે. આ પગ ત્રેતાયુગના છે અને હજારો વર્ષોથી આવા જ રહ્યા છે. આ સ્થાન પર ઋષિ ચ્યવનનો આશ્રમ હતો અને આ ઋષિ તપસ્યા કરતા હતા. વનવાસના સમયગાળા દરમિયાન, રામે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો અને તમામ ઋષિઓ અને મહાત્માઓને મળ્યા અને તેમના આશીર્વાદ પણ લીધા. રામ વિદિશામાં ચ્યવન ઋષિના આશ્રમમાં પણ આવ્યા હતા.

ઇતિહાસમાં પણ તેનો ઉલ્લેખ છે

Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

ઈતિહાસકાર નિરંજન વર્મા કહે છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો અને યાદવો સાથેના યુદ્ધ પછી શત્રુઘ્ન દ્વારા વિદિશા જીતી લેવાઇ હતી. ત્યાર પછી, જ્યારે રામરાજ્યના વિભાજનનો સમય આવ્યો, ત્યારે આ પ્રદેશ મહારાજા શત્રુઘ્નના પુત્ર શત્રુઘાતીને આપવામાં આવ્યો. (આ હકીકતનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં પણ છે). તે સમયગાળાની આસપાસના વિસ્તારને દશાર્ણ કહેવામાં આવતું હતું અને તેની રાજધાની વિદિશા કહેવાતી હતી, આ વિસ્તારને મહર્ષિ વાલ્મીકિ સાથે પણ સંકળાયેલો માનવામાં આવે છે.

ગ્વાલિયરના સુબેદારે મંદિર બનાવ્યું

Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

અહીં મહારાષ્ટ્રીયન શૈલીના બે મંદિરો છે, આ સ્થાનને ચરંતીર્થ કહેવામાં આવે છે. ચરણતીર્થ ખાતે ભગવાન શિવના બે વિશાળ મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. આ મંદિરોમાંથી એક મરાઠા કમાન્ડર અને ભેલસાના ગવર્નર ખાંડેરાવ અપ્પાજીએ 1775માં બંધાવ્યું હતું, બીજું મંદિર તેમની બહેને બંધાવ્યું હતું. બંને મંદિરોમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. મુઘલોના આક્રમણથી પરેશાન વિદિશા શહેરના લોકો માટે ગ્વાલિયર રાજ્યના સુબેદાર અપ્પા ખંડેરાવ દ્વારા અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભગવાને તેને સ્વપ્નમાં કહ્યું કે આ સ્થાનની નજીક એક મંદિર બનાવો, પછી તેમણે અહીં ચરણ તીર્થ પર એક શિવ મંદિર બનાવ્યું.

આ સ્થળને ભેલસા કહેવાતું હતું

Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

ભોપાલથી માત્ર 56 કિમી દૂર આવેલી વિદિશાનું જૂનું નામ ભેલસા હતું. આ નામ સૂર્ય, ભેલ્લિસ્વામિનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક સાહિત્યમાં વિદિશાનું પ્રાચીન નામ વેદિશ અથવા વેદિસા છે. બ્રિટિશ કાળમાં પણ આ શહેર ભેલસા તરીકે ઓળખાતું હતું, પરંતુ 1952માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે શહેરના લોકોની માંગ પર આ શહેરનું નામ વિદિશા રાખ્યું હતું.

ચિત્રકૂટમાં પણ ભગવાન આવ્યા હતા

Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

ચિત્રકૂટની નજીક સતના જિલ્લામાં અત્રિ ઋષિનો આશ્રમ હતો. તેઓ ચિત્રકૂટના તપોવનમાં રહેતા હતા. શ્રી રામ થોડો સમય વનવાસમાં રહ્યા. અત્રિ ઋષિ ઋગ્વેદના પાંચમા અધ્યાયના દ્રષ્ટા છે. અત્રિ ઋષિની પત્નીનું નામ અનુસુયા છે, જે દક્ષ પ્રજાપતિની 24 પુત્રીઓમાંની એક હતી. ચિત્રકૂટની મંદાકિની, ગુપ્ત ગોદાવરી, નાના પહાડો, ગુફાઓ વગેરેમાંથી પસાર થયા પછી શ્રી રામ ગાઢ જંગલમાં ગયા.

ચરણ તીર્થ ક્યાં આવેલું છે?

Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

ચરણ તીર્થ વિદિશા શહેરનું મુખ્ય ધાર્મિક સ્થળ છે. ચરણ તીર્થ વિદિશા અશોકનગર હાઇવે રોડ પર આવેલું છે. તે બેતવા નદી પર આવેલું છે. તમે આ સ્થળની આરામથી મુલાકાત લઈ શકો છો. તમારી કાર અને બાઇક અહીં જઈ શકે છે. પાર્કિંગ માટે પણ આ એક સારી જગ્યા છે. અહીં આવવા માટે ટ્રેન, બસ કે પ્લેન દ્વારા ભોપાલ આવવું પડશે. ભોપાલથી ફક્ત 56 કિમી દૂર આ જગ્યા આવેલી છે.

વિદિશામાં જોવાલાયક અન્ય સ્થળો

ઉદયગીરી ગુફાઓ

Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

વિદિશાથી 6 કિમી દૂર બેતવા અને વૈસ નદીઓ વચ્ચે આવેલી ઉદયગિરી ગુફાઓ તેની અત્યંત જટિલ કોતરણી માટે જાણીતી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત આ ગુફાઓમાં ઘણા બૌદ્ધ અવશેષો પણ મળી આવ્યા છે અને આ ગુફાઓમાં કરવામાં આવેલી કોતરણી અને શિલાલેખો વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ ગુફામાં મળેલા મોટાભાગના શિલ્પો ભગવાન શિવ અને તેમના અવતારોને સમર્પિત છે. ગુફામાં ભગવાન વિષ્ણુની એક નમેલી મુદ્રામાં પ્રતિમા છે, જે જોવા જેવી છે. આ ખડકોની ગુફાઓ ગુપ્તકાળના કારીગરોની કુશળતા અને કલ્પનાનું જીવંત ઉદાહરણ છે.

ઉદયગીરી ડેમ

Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

વિદિશામાં જોવાલાયક સ્થળોમાંનું એક ઉદયગીરી ડેમ છે. અહીં દરરોજ હજારો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. વિદિશામાં હલાલી નદી પર બનેલો એક નાનો ડેમ છે, જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. ઉદયગીરી ડેમની બરાબર બાજુમાં એક પર્વત છે જ્યાંથી ઉદયગીરીનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. વિદિશામાં ઘણા લોકો તેને સેલ્ફી પોઈન્ટ તરીકે પણ જાણે છે. અહીં તમે પરિવાર, મિત્રો અને પાર્ટનર સાથે ફરવા પણ જઈ શકો છો.

બ્રજ મઠ મંદિર

Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

આ એક ઐતિહાસિક મંદિર છે. આ મંદિર પથ્થરનું બનેલું છે. પરંતુ તમને 3 મંદિરો જોવા મળશે. આ ત્રણેય સ્થાનો પર જૈન સંતોની પ્રતિમાઓ છે. પથ્થર પર સુંદર કોતરણી છે. મંદિરની દિવાલો પર સુંદર શિલ્પો કોતરવામાં આવ્યા છે જે ખૂબ જ સુંદર લાગે છે.

Photo of વિદિશાનું એક મંદિર જ્યાં ભગવાન રામ નહીં પરંતુ તેમના આ ભાગની થાય છે પૂજા by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads