કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ

Tripoto
Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ચર્ચા માત્ર એક ગામ, શહેર કે રાજ્યમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં પ્રસિદ્ધ છે. અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાત સુધી અને જમ્મુ-કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, આવા હજારો પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો છે, જેના વિશે કોઈને કોઈ રસપ્રદ કહાનીઓ આપણે સાંભળતા રહીએ છીએ. ઉત્તરાખંડના સુંદર મેદાનોમાં ભગવાન ગણેશજીની એક એવી મૂર્તિ છે, જ્યાં માથા વગરના ગણપતિની પૂજા કરવામાં આવે છે. આ આર્ટિકલમાં અમે તમને આ મંદિર વિશે જણાવીશું.

માથા વગરના ગણપતિ મંદિરનું નામ શું છે?

Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

ઉત્તરાખંડના સુંદર મેદાનમાં આવેલા માથા વગરના ગણપતિ મંદિરનું નામ 'મુંડકટિયા મંદિર' છે. તે પવિત્ર અને પ્રાચીન છે. આ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. આ મંદિર મુંડકટિયા ગામમાં આવેલું છે જે કેદારનાથ મંદિરથી 20 કિમી અને ગૌરીકુંડથી માત્ર 4 કિમી દૂર છે. આ મંદિર ત્રિયુગી નારાયણ મંદિરની ખૂબ નજીક છે. જો તમે પગપાળા જાવ છો તો તમારે સોનપ્રયાગથી મુંડાકટિયા ગણેશ મંદિર સુધી ચાલતા રહેવું પડશે.

Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

મુંડાકટિયા ગણેશને આ નામ બે શબ્દો 'મુંડ' અને 'કટા' પરથી પડ્યું છે. મુંડા એટલે માથું અને કટા એટલે અલગ થવું. જો તમે ઉત્તરાખંમાં ફરવા કે કેદારનાથની યાત્રાએ જઈ રહ્યા છો, તો રસ્તામાં આવતા વિશ્વના આ અનોખા મંદિરમાં ભગવાન ગણેશના અવશ્ય દર્શન કરજો. અહીં પહોંચવા માટે તમે સોનપ્રયાગથી પગે ચાલીને જઇ શકો છો અથવા સ્થાનિક ટેક્સી લઈ શકો છો.

મુંડાકટિયા મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં શ્રી ગણેશજી માથા વગરના સ્વરૂપમાં બિરાજમાન છે. અહી ભક્તોનો ધસારો સતત રહેતો જોવા મળે છે. એવું કહેવાય છે કે જે પણ ભક્ત સાચા મનથી આ મંદિરના દર્શન કરવા આવે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ તે સ્થાન છે જ્યાં ભગવાન શિવે ગણેશને તેમની ઉદંડતાની સજા તરીકે શિરચ્છેદ કર્યો હતો. માતા પાર્વતી અને અન્યના વિલાપ દેવતાઓના કહેવા પર, મહાદેવે હાથીનું માથું તેની સુંઢ સાથે જોડીને ભગવાન ગણેશને પુનઃ જીવનદાન કર્યું, ત્યારબાદ ભગવાન ગણેશને ગજાનન કહેવામાં આવ્યા.

શું છે મુંડકટિયા ગણેશ મંદિરની વાર્તા

પૌરાણિક માન્યતા અનુસાર, એકવાર મહાદેવ તપસ્યા માટે કૈલાસની બહાર ક્યાંક ગયા હતા. તે સમયે માતા પાર્વતી ખૂબ જ એકલતા ભોગવતા હતા. તેથી માતા પાર્વતીએ તેમના શરીરના મેલમાંથી એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ ફૂંક્યો. જ્યારે બાળક જીવિત થયો, ત્યારે માતા પાર્વતીએ તેને પુત્ર તરીકે સ્વીકારી લીધો.

અને તેનું નામ વિનાયક રાખ્યું. માતા પાર્વતીએ વિનાયકને તેમની ગુફાની બહાર ચોકી પર બેસાડ્યા અને ગૌરીકુંડમાં સ્નાન કરવા ગયા અને તેમને કડક સૂચના આપી કે ગુફાની અંદર કોઈને પ્રવેશ કરવા ન દેવો. એ જ વખતે મહાદેવ ત્યાં આવ્યા. પરંતુ ગણેશજી એ વાતથી અજાણ કે મહાદેવ તેમના પિતા છે. તેથી વિનાયકે પણ તેમને અંદર જતા રોક્યા.

Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

ઘણી સમજાવટ પછી પણ જ્યારે વિનાયક મહાદેવને અંદર જવા દેવા માટે રાજી ન થયા ત્યારે મહાદેવ ગુસ્સામાં આવી ગયા અને તેમના પર ત્રિશુલ વડે હુમલો કર્યો. વિનાયકનું માથું ધડથી અલગ થઈ ગયું. જે જગ્યાએ આ ઘટના બની હતી, આજે તે જ જગ્યાએ મુંડકટા અથવા મુંડકટિયા ગણેશનું મંદિર સ્થાપિત છે. જ્યારે માતા પાર્વતીને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ શોક કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન શિવે તમામ દેવતાઓને આદેશ આપ્યો કે ઉત્તર દિશામાં જાઓ અને જે જીવ સૌ પ્રથમ નજરે પડે તેનું માથું કાપીને લઇ આવો. દેવતાઓને ભગવાન શિવ દ્વારા જણાવેલી શરતો અનુસાર એક સફેદ હાથી મળ્યો, જેનું માથું ભગવાન ગણેશના ધડ પર લગાવ્યું.

Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

શું તમે જાણો છો કે ભગવાન ગણેશનું માથું કપાયા બાદ ક્યાં પડ્યું હતું અને તે જગ્યા શું કહેવાય છે? તે સ્થાન જ્યાં ભગવાન ગણેશનું માથું પડ્યું હતું તે પણ માત્ર ઉત્તરાખંડમાં જ છે. તે જગ્યા પિથોરાગઢમાં છે, જેને પાતાળ ભુવનેશ્વરની ગુફા કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ગુફામાં 33 કરોડ દેવી-દેવતાઓનાં દર્શન એકસાથે થાય છે.

ધાર્મિક માન્યતા અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ પર અહંકાર હાવી થઇ જાય છે ત્યારે તે સૌથી પહેલા વ્યક્તિના મન પર અસર કરે છે. તેથી ભગવાન શિવે ગણેશનો શિરચ્છેદ કર્યું કારણ કે તેમને સૌથી શક્તિશાળી અને માતા પાર્વતીના પુત્ર હોવાનો ગર્વ હતો.

Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

મુંડાકટિયા મંદિરની આસપાસ ફરવા માટેના સ્થળો

ગૌરી કુંડ:- મુંડાકટિયા મંદિરની આસપાસ ફરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે. સૌ પ્રથમ તમે ગૌરી કુંડની મુલાકાત લઈ શકો છો. ગૌરી કુંડ હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

ત્રિયુગીનારાયણ મંદિરઃ- રૂદ્રપ્રયાગમાં સ્થિત ત્રિયુગીનારાયણ મંદિર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર મંદિર માનવામાં આવે છે. આ રીતે મુંડાકટીયા મંદિરની યાત્રામાં તમે આ મંદિરની મુલાકાત પણ લઈ શકો છો.

Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

પ્રકૃતિનો આનંદ માણો:- જ્યાં મુંડકટિયા મંદિરની સ્થાપના કરવામાં આવી છે તે સ્થળની આસપાસ તમે પ્રકૃતિનો શ્રેષ્ઠ આનંદ માણી શકો છો. અહીં આસપાસ ઊંચા પર્વતો અને હરિયાળી જ હરિયાળી જોઈ શકાય છે.

Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

મુંડાકટિયા મંદિર કેવી રીતે પહોંચવું?

મુંડાકટિયા મંદિર સુધી પહોંચવું ખૂબ જ સરળ છે.

બસ દ્વારા કેવી રીતે પહોંચવું:- દિલ્હી, દેહરાદૂન, ઋષિકેશ અથવા હરિદ્વારથી બસ દ્વારા સરળતાથી મુંડકટિયા મંદિર પહોંચી શકાય છે. આ માટે સૌપ્રથમ સોનપ્રયાગ પહોંચવાનું છે અને સોનપ્રયાગથી ટેક્સી કરીને મંદિર સુધી પહોંચી શકાય છે.

Photo of કેદારનાથની નજીક આ જગ્યાએ પૂજાય છે માથા વગરના ગણપતિ, દરેકની મનોકામના થાય છે પૂર્ણ by Paurav Joshi

ટ્રેન દ્વારા કેવી રીતે પહોંચવું:- ઋષિકેશ રેલ્વે સ્ટેશન ટ્રેન દ્વારા જવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. અહીંથી બસ અથવા ટેક્સીથી સોનપ્રયાગ અને પછી સોનપ્રયાગથી મુંડકટિયા મંદિર સુધી પહોંચી શકાય છે. તમે દેહરાદૂન રેલવે સ્ટેશનથી પણ જઈ શકો છો.

હવાઈ ​​માર્ગે કેવી રીતે પહોંચવું:- નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે. અહીંથી સોનપ્રયાગ અને પછી સોનપ્રયાગથી કાર કે ટેક્સી લઈને મુંડકટિયા મંદિર પહોંચી શકાય છે.

કેદારનાથ જવાના જૂના માર્ગ પર કેદારનાથ જતા યાત્રીઓ તેમની પ્રાર્થના કરવા માટે અહીં રોકાતા હતા. પરંતુ નવો માર્ગ જાણીતો હોવાથી ભાગ્યે જ કોઇએ કેદાર ખીણના જંગલની ગોદમાં આવેલા આ પ્રાચીન મંદિરની મુલાકાત લીધી હશે. આ મંદિરની નીચેથી મંદાકિની નદી વહે છે, જે ખૂબ જ સુંદર મનમોહક દૃશ્યો પ્રદાન કરે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads