ઉત્તરાખંડનું એ ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાની સખ્ત મનાઇ છે

Tripoto
Photo of ઉત્તરાખંડનું એ ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાની સખ્ત મનાઇ છે by Paurav Joshi

આપણા ભારત વર્ષને હંમેશા રહસ્યોથી ભરેલા દેશ તરીકે ઓળખવામાં આવે છે. એવી ઘણી જગ્યાઓ છે જેણે પોતાની વિશેષતા જાળવી રાખી છે. ઉત્તરાખંડ રાજ્યને દેવભૂમિ કહેવામાં આવે છે, અહીંની દરેક જગ્યાને લોકો પવિત્ર માને છે. આપણા હિંદુ ધર્મમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, સમગ્ર ભારતમાં હનુમાનજીના ઘણા મંદિરો આવેલા છે.

પરંતુ ઉત્તરાખંડના એક ગામમાં એવું શું કારણ છે કે લોકો હનુમાનજીથી એટલા નારાજ છે કે ત્યાં તેમની તસવીર લેવા પણ નથી દેતા. મિત્રો, આ ગામનું નામ દ્રોણાગીરી ગામ છે.

Photo of ઉત્તરાખંડનું એ ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાની સખ્ત મનાઇ છે by Paurav Joshi

દ્રોણાગિરિ કેવી રીતે પહોંચવું:

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં, જોશીમઠથી મલારી તરફના માર્ગ પર, લગભગ 50 કિલોમીટર આગળ જુમ્મા નામનું સ્થળ છે. અહીંથી દ્રોણાગિરી ગામ પહોંચવા માટે શરૂ થાય છે પગપાળા રસ્તો. અહીં, ધૌલી ગંગા નદી પર બનેલા પુલની બીજી બાજુએ, એક સીધી પર્વતમાળા દેખાય છે, તેને પાર કર્યા પછી જ આપણે દ્રોણાગિરિ પહોંચીએ છીએ. સાંકડી પહાડી પગદંડીઓ સાથે લગભગ દસ કિલોમીટરનો આ વૉકિંગ રૂટ ઘણો મુશ્કેલ છે પણ, ખૂબ જ રોમાંચક છે. દ્રોણાગિરી ગામની ઉપર, બાગીની, ઋષિ પર્વત અને નંદી કુંડ જેવા કેટલાક પ્રખ્યાત સ્થળો છે, જ્યાં ઉનાળામાં ઘણા ટ્રેકર્સ જાય છે. સ્વાભાવિક છે કે શિયાળામાં આ સ્થાનો લોકોની પહોંચની બહાર થઈ જાય છે.

Photo of ઉત્તરાખંડનું એ ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાની સખ્ત મનાઇ છે by Paurav Joshi

છ મહિનાથી નિર્જન રહેલા ગામમાં જ્યારે લોકો પાછા આવે છે, ત્યારે અહીં પ્રથમ ધાર્મિક વિધિ કરવામાં આવે છે જેને સ્થાનિક લોકો રગોસા કહે છે. ગામના લોકોનું માનવું છે કે જ્યારે ઘર લાંબા સમય સુધી ખાલી રહે છે તો તેમાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે. તેથી જ રગોસા દ્વારા આખું ગામ શુદ્ધ થાય છે. રગોસામાં, જાહેર ધાર્મિક વિધિ પછી, ગામની ચારેબાજુ કેટલાક મંત્રેલા કિલ્લાઓ ઠોકી દેવામાં આવે છે. ગામના લોકોનું માનવું છે કે આવું કરવાથી નકારાત્મક શક્તિઓ ગામમાં પ્રવેશી શકતી નથી. આ પરંપરા જૂની છે અને લોકોની સ્મૃતિમાં ઊંડે સુધી જડેલી છે.

Photo of ઉત્તરાખંડનું એ ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાની સખ્ત મનાઇ છે by Paurav Joshi

ગામમાં શું છે ખાસ:

દ્રોણાગિરી એ નીતિ ખીણમાં જ આવેલું એક ખૂબ જ સુંદર ગામ છે. આ ગામની ઘણી વિશેષતાઓ છે, તેમાંથી એક એ છે કે આ ગામમાં વર્ષમાં માત્ર છ મહિના જ વસવાટ થાય છે. પરંતુ જ્યારે વસ્તી હોય ત્યારે તે આશ્ચર્યજનક લાગે છે. ભોટિયા જાતિના લોકો મુખ્યત્વે નીતિ ખીણમાં રહે છે. દ્રોણાગિરી પણ ભોટિયા જનજાતિનું વસેતું ગામ છે. લગભગ 12 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલા આ ગામમાં લગભગ 100 પરિવાર રહે છે. શિયાળામાં દ્રોણાગિરી એટલા બધા બરફથી ઢંકાઈ જાય છે કે અહીં રહેવું અશક્ય બની જાય છે. તેથી, ઑક્ટોબરના બીજા-ત્રીજા અઠવાડિયા સુધીમાં, તમામ ગ્રામજનો ચમોલી શહેરની આસપાસ આવેલા તેમના અન્ય ગામોમાં પાછા ફરે છે. મે મહિનામાં જ્યારે બરફ પીગળે છે ત્યારે દ્રૌણગિરી ફરી એકવાર આબાદ થઇ જાય છે.

જ્યારે લોકો છ મહિનાથી નિર્જન ગામમાં પાછા આવે છે, ત્યારે અહીં પ્રથમ ધાર્મિક વિધિ કરવામાં આવે છે જેને સ્થાનિક રીતે રગોસા કહેવામાં આવે છે. ગામના લોકોનું માનવું છે કે જ્યારે ઘર લાંબા સમય સુધી ખાલી રહે છે તો તેમાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે. તેથી જ રગોસા દ્વારા આખું ગામ શુદ્ધ થાય છે. રગોસામાં, જાહેર ધાર્મિક વિધિ પછી ગામની ચારેબાજુ મંત્રેલા કિલ્લા ઠોકી દેવામાં આવે છે. ગામના લોકોનું માનવું છે કે આવું કરવાથી નકારાત્મક શક્તિઓ ગામમાં પ્રવેશતી નથી. આ પરંપરા જૂની છે અને લોકોની સ્મૃતિમાં ઊંડે સુધી સંગ્રહાયેલી છે.

ગામલોકોના પાછા ફર્યા અહીં ફરીથી પરંપરાગત ખેતીનું કામ શરૂ થાય છે, આટલી ઊંચાઈએ ઘણા પાક નથી થતા પરંતુ રોજિંદા ખોરાકની વ્યવસ્થા જરુર થઇ જાય છે. દ્રોણાગિરી ખાસ કરીને જડીબુટ્ટીઓ અને મસાલા માટે જાણીતું છે. ફરાન, જમ્મુ, કાળું જીરું, ચોરુ, કુટકી, અતીસ, કૂટ જેવી ઘણી જડીબુટ્ટીઓ અને મસાલાઓ પણ અહીં પેદા થાય છે. આમાંના ઘણા ખેતી દ્વારા ઉગાડવામાં આવે છે પરંતુ કેટલાક કુદરતી રીતે ઉગે છે.

સમયની સાથે દ્રોણાગિરિ પણ બદલાયું છે, ગામલોકો કહે છે કે પહેલા તેમનું મુખ્ય કામ તિબેટ સાથે વેપાર કરવાનું હતું. ભોટિયા જાતિના આ તમામ લોકો પાસે પહેલા સેંકડો બકરા, ખચ્ચર અને ઘોડા હતા. આ પ્રાણીઓની મદદથી આ લોકો નીતિ પાસને પાર કરીને તિબેટમાં પ્રવેશતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ધંધો બંધ છે. તેથી હવે દ્રોણાગિરિના લોકો લગભગ સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર બની ગયા છે.

Photo of ઉત્તરાખંડનું એ ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાની સખ્ત મનાઇ છે by Paurav Joshi

નાગદમન એક રહસ્યમય વનસ્પતિ:

નાગદમનને આ સ્થાનનો ખજાનો કહેવામાં આવે તો ખોટું નહીં ગણાય. જેની શોધ દર વર્ષે ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે અને કેટલાક લોકોને

તો તે મળી પણ જાય છે. નાગદમન એક એવી જડીબુટ્ટી છે જેના માટે એવું માનવામાં આવે છે કે તે જાતીય શક્તિ વધારવાનું કામ કરે છે. તેના કીડા જેવા આકારને કારણે સ્થાનિક ભાષામાં તેને કીડા જાડી કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 16-20 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી છે. ચીન, હોંગકોંગ, કોરિયા અને તાઈવાનના આંતરરાષ્ટ્રીય બજારોમાં નાગદમનનું વેપારી નામ યારસા ગંબૂ છે. અહીંના લોકોને 15-16 વર્ષ પહેલા જ કીડા જાડી વિશે ખબર પડી હતી. આ અગાઉ ના તો અહીંના લોકો નાગદમન વિશે જાણતા હતા અને ન તો તેઓ તેની ઉપયોગિતાને સમજતા હતા. વાસ્તવમાં, અહીં ખેતી વધુ નથી, તેથી નાગદમન અહીંના લોકો માટે વરદાન બનીને આવ્યું છે. એક દિવસમાં એક ગ્રામીણ સામાન્ય રીતે તેને 5-7 થી 30-40 સુધીની સંખ્યામાં તેને એકત્રિત કરે છે. એક સીઝનમાં એક વ્યક્તિને આનાથી બે થી લઇને છ લાખ રૂપિયા સુધીની કમાણી થઇ શકે છે.

Photo of ઉત્તરાખંડનું એ ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાની સખ્ત મનાઇ છે by Paurav Joshi

હનુમાનજીથી નારાજ કેમ છે?

ગામમાં ક્યારેય હનુમાનજીની પૂજા કરવામાં આવતી નથી, ગામના લોકો હનુમાનજીથી ખૂબ નારાજ છે. અને તેમની પાસે તેનું એક કારણ પણ છે, દ્રોણાગિરી ગામના લોકો 'પર્વત દેવતા'ને તેમના દેવતા માને છે અને અહીં સૌથી મોટી પૂજા દ્રોણાગિરિ પર્વતની કરવામાં આવે છે. આ એ જ દ્રોણાગિરિ પર્વત છે જેનો ઉલ્લેખ રામાયણમાં સંજીવની બૂટીના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે રામાયણ કાળમાં જ્યારે લક્ષ્મણ બેહોશ થઈ ગયા ત્યારે હનુમાન દ્રોણાગિરિમાં સંજીવની ઔષધિ લેવા આવ્યા હતા અને જ્યારે તેમને સમજાયું નહીં કે તે કઈ ઔષધિ છે ત્યારે તેમણે આ પર્વતનો એક ભાગ જ ઉખેડી નાખ્યો હતો. ગામલોકોનું માનવું છે કે તે સમયે હનુમાનજીએ તેમના દ્રોણાગિરિ પર્વત દેવતાનો જમણો હાથ છીનવી લીધો હતો. ત્યારથી તે હનુમાનજીથી નારાજ રહે છે.

Photo of ઉત્તરાખંડનું એ ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાની સખ્ત મનાઇ છે by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads