જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના

Tripoto
Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

જયપુરનો જયગઢ કિલ્લો પોતાની સુંદરતા અને અદ્ભુત બનાવટ માટે આખા દેશમાં પ્રસિદ્ધ છે. પરંતુ આ સિવાય આ કિલ્લો તેમાં છુપાયેલા ખજાનાના ખોદકામ માટે પણ ચર્ચામાં રહ્યો છે. હકીકતમાં ઇન્દિરા ગાંધીએ આ કિલ્લામાં ખજાનાને શોધવા માટે સેના મોકલી હતી. ત્યારબાદ ખજાનો શોધવાનું કામ લગભગ એક મહિના સુધી ચાલ્યું પરંતુ સરકાર આ કામમાં સફળ ન થઇ શકી. ચાલો તમને જણાવીએ આ કિલ્લા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

જયપુરના આ ભવ્ય કિલ્લાનું ઔપચારિક નિર્માણ કાર્ય ઇસ.1600માં રાજા માનસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ અઢારમી સદીમાં સવાઈ જયસિંહે આ કિલ્લો પૂર્ણ કરાવ્યો. ત્યાર બાદ તેનું નામ જયગઢ પડ્યું. માહિતી અનુસાર, રાજા માનસિંહ પહેલાએ તેમના બાવીસ નાના રજવાડાઓમાંથી મૂડી અને સંપત્તિ એકત્ર કરી હતી. અકબરથી આ ખજાનાને સુરક્ષિત રાખવા માટે તેણે આ જગ્યા પસંદ કરી હતી.

Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

આ કિલ્લાને 'વિજય કિલ્લો' તરીકે પણ ઓળખવામાં આવે છે, કિલ્લાની રચના અને બાંધકામ તમને મધ્યકાલીન ભારતની ઝલક આપશે. તે સમયે આ કિલ્લો ખજાનાની સુરક્ષા માટે જાણીતો હતો, એટલું જ નહીં, આ કિલ્લાનો ઉપયોગ આમેરની સંરક્ષણ પ્રણાલી તરીકે પણ થતો હતો. આ કિલ્લો લગભગ વિશાળ દિવાલોથી ઘેરાયેલો છે. એવું માનવામાં આવે છે કે આ કિલ્લો જયપુરના સૌથી મજબૂત સ્મારકોમાંથી એક છે.

Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

ખજાનાને સુરક્ષિત રાખવા માટે, રાજાએ નાંગલ ગામની સંધાતા મીણાની મદદ લીધી અને તેની સંભાળ રાખવા માટે તેની નિમણૂક પણ કરી. આ ખજાના વિશે, એવું પણ સાંભળવામાં આવ્યું છે કે જયસિંહે તેનો ઉપયોગ જયપુર શહેરને વસાવવા માટે કર્યો હતો. તમને જણાવી દઈએ કે જ્યાં આ પૈસા દફનાવવામાં આવ્યા હતા તે જગ્યા આજે ચીલ કા ટીલા તરીકે ઓળખાય છે. આ કિલ્લાની ખાસ વાત એ છે કે, 18મી સદી દરમિયાન જ્યારે દેશમાં ક્યાંય બંદૂક બનાવવાની ફેક્ટરીઓ જોવા મળી ન હતી, ત્યારે માત્ર જયપુરના જયગઢ કિલ્લામાં જ ઘઉંના ભૂસા અને માટીને મોલ્ડ કરીને તોપો બનાવવામાં આવતી હતી. તેના પુરાવા આજે પણ ત્યાં જોવા મળે છે.

Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

ઈતિહાસકારો કહે છે કે અકબરના દરબારમાં સેનાપતિ જયપુરના રાજા માનસિંહ પ્રથમે મુઘલ બાદશાહના આદેશ પર અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. એ જ અફઘાનિસ્તાન, જ્યાં હવે તાલિબાનોએ કબજો કરી લીધો છે. પછી તે વિસ્તાર જીતીને રાજા માનસિંહને ઘણી સંપત્તિ મળી. તેણે તેને દિલ્હી દરબારમાં સોંપવાને બદલે પોતાની પાસે રાખ્યો. જયગઢ કિલ્લાના નિર્માણ પછી, એવું કહેવાય છે કે જળ સંરક્ષણ માટે બનાવવામાં આવેલી વિશાળ ટાંકીમાં સોનું, ચાંદી, હીરા અને રત્નો છુપાયેલા હતા.

જયગઢનો કિલ્લો અને તેનો ઈન્દિરા ગાંધી સાથેનો સંબંધ

Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

1975-76ની વાત છે. દેશમાં ઈમરજન્સી હતી. દરમિયાન, આવકવેરા વિભાગે જયપુર રાજવી પરિવારના મહેલો પર દરોડા પાડ્યા હતા અને સેનાએ કિલ્લાની તપાસ કરી હતી. સેનાની મદદથી કેન્દ્રએ ખજાનાની શોધમાં થોડા મહિનાઓ સુધી કિલ્લામાં ખોદકામ કર્યું હતું. આ એ જ ખજાનો હતો જે રાજા માનસિંહ અફઘાનિસ્તાન પર હુમલો કર્યા પછી લાવ્યા હતા. આખરે એક દિવસ જયપુર-દિલ્હી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો. ત્યારે એવી ચર્ચા હતી કે સરકારે લોકોને છેતરીને ખજાનો તે બંધ હાઇવેથી ટ્રકમાં ભરીનેદિલ્હી પહોંચાડ્યો છે. પરંતુ સરકારે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કે તેમને કિલ્લામાંથી કોઈ ખજાનો મળ્યો નથી. ત્યારે સવાલ એ થયો કે ખજાનો મળ્યો નથી તો ગયો ક્યાં? ઘણા લોકોએ આરટીઆઈ દાખલ કરી અને સરકાર પાસેથી તિજોરી વિશે જાણવા માંગતા હતા, પરંતુ દરેક વખતે વિભાગો આ સંદર્ભે તેમની પાસે કોઈ માહિતી ન હોવાનું ટાંકતા હતા.

ગાયત્રી દેવીની સ્વતંત્ર પાર્ટી કોંગ્રેસની વિરોધી હતી

Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

દેશને આઝાદી મળ્યા પછી પણ જયગઢ કિલ્લામાં ખજાનાની વાત વારંવાર થતી રહી. આ સમયે, જયપુર શાહી પરિવારના પ્રતિનિધિઓ રાજા સવાઈ માન સિંહ (સેકન્ડ) અને તેમની પત્ની ગાયત્રી દેવી હતા. આ બંને લોકો, 'સ્વતંત્ર પાર્ટી'ના સભ્યો હતા અને કોંગ્રેસના કટ્ટર વિરોધી હતા. ગાયત્રી દેવી જયપુરથી કોંગ્રેસના ઉમેદવારને ત્રણ વખત હરાવીને લોકસભાના સભ્ય પણ બન્યા હતા. તેથી, આ સમયગાળા દરમિયાન, કોંગ્રેસ પાર્ટી સાથે રાજવી પરિવારના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા હતા.

Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

જ્યારે દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી ત્યારે ગાયત્રી દેવીએ તેનો જોરશોરથી વિરોધ કર્યો હતો. આ કારણથી ઈન્દિરા ગાંધી સરકારે આવકવેરા વિભાગને રાજવી પરિવારની સંપત્તિની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. 1976માં સરકારની આ કાર્યવાહીમાં સેનાની ટુકડી પણ સામેલ હતી. જયગઢ કિલ્લામાં ખજાનો શોધવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. તે સમયે સેનાએ જયગઢ કિલ્લા અને તેની આસપાસ ત્રણ મહિના સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

ભુટ્ટોએ પાકિસ્તાનનો હિસ્સો માંગ્યો હતો

Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

11 ઓગસ્ટ 1976ના રોજ ભુટ્ટોએ ઈન્દિરા ગાંધીને પત્ર લખ્યો હતો કે તમારી સરકાર જયગઢમાં ખજાનો શોધી રહી છે. આ સંદર્ભમાં, પાકિસ્તાન તેની સંપત્તિના હિસ્સા માટે હકદાર છે કારણ કે અવિભાજિત ભારતને વિભાજન સમયે આવી કોઈ સંપત્તિની જાણ નહોતી. વિભાજન પહેલાના કરાર મુજબ જયગઢની સંપત્તિ પર પાકિસ્તાનનો હિસ્સો બને છે. ભુટ્ટોએ લખ્યું હતું કે પાકિસ્તાનને પૂરી આશા છે કે શોધ અને ખોદકામ બાદ મળેલી સંપત્તિમાં પાકિસ્તાનનો હિસ્સો તેને કોઈપણ શરત વિના આપવામાં આવશે.'

Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

ઈન્દિરા ગાંધીએ ઓગસ્ટમાં ભુટ્ટોના પત્રનો જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ જ્યારે ઈન્કમટેક્સ, લેન્ડ સર્વે ડિપાર્ટમેન્ટ, સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ અને અન્ય વિવિધ વિભાગોને શોધમાં કોઈ સફળતા ન મળી, ત્યારે ઈન્દિરા ગાંધીએ સર્ચનું કામ સેનાને સોંપ્યું. પરંતુ જ્યારે સૈન્ય પણ જયગઢથી ખાલી હાથે પરત ફર્યું ત્યારે ઈન્દિરા ગાંધીએ 31 ડિસેમ્બર 1976ના રોજ ભુટ્ટોને તેમના જવાબમાં કહ્યું હતું કે તેમણે કાનૂની નિષ્ણાતોને પાકિસ્તાનના દાવાની માન્યતાની તપાસ કરવા કહ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનનો કોઈ દાવો ઉપસ્થિત નથી થતો. ઈન્દિરા ગાંધીએ એમ પણ લખ્યું હતું કે જયગઢમાં ખજાનો નામની કોઈ વસ્તુ મળી નથી. પરંતુ અરબી પુસ્તક 'તિલિસ્માત-એ-અંબેરી'માં લખ્યું છે કે જયગઢમાં સાત ટાંકા વચ્ચે સંપત્તિ સુરક્ષિત રીતે છુપાવવામાં આવી હતી. કદાચ પાકિસ્તાને પણ આ પુસ્તકને ટાંકીને દાવો કર્યો હશે.

કિલ્લાની મુલાકાત લેવાનો સમય

Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

રાજસ્થાનમાં આખું વર્ષ ખૂબ જ ગરમી રહે છે, જેનો અર્થ છે કે તમે ઉનાળામાં અહીંના શહેરોની મુલાકાત લઈ શકતા નથી. પરંતુ તમને શિયાળાના દિવસોમાં અહીં આવવાની મજા આવશે. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચેનો છે. જયપુરમાં તમે હવા મહેલ, આમેર ફોર્ટ, સિટી પેલેસ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

Photo of જ્યારે ઇન્દિરા ગાંધીએ જયપુરના જયગઢ ફોર્ટનો ખજાનો ખોલવા માટે મોકલી હતી સેના by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads