શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ

Tripoto
Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

લદ્દાખ એટલે તિબેટિયન લિપિમાં ઉંચા પાસિસ (passes) એટલે કે ઉચ્ચ માર્ગ કે ઘણાંબધા પાસિસની ભૂમિ. ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો ત્યારથી આ પ્રદેશની ચર્ચા ખુબ થઇ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ઇતિહાસની દૃષ્ટિએ લદ્દાખ કેવો પ્રદેશ કે ભાગ રહ્યો છે અને તેનો ભારતમાં સમાવેશ કેવી રીતે થયો? તેની પાછળ સદીઓનો ઈતિહાસ છે અને આ જ ઈતિહાસને કારણે ક્યારેક તિબેટ તો ક્યારેક ચીન લદ્દાખના ભાગો પર પોતાનો હક દાવો કરતા રહે છે. જાણો શું છે લદ્દાખની કહાની અને શા માટે લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અન્ય કોઈ દેશનું નહીં.

Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

લદ્દાખનો ઈતિહાસ બે હજાર વર્ષથી વધુ જૂનો છે અને ભૂગોળ પ્રમાણે હિમાલય અને કારાકોરમ પર્વતમાળાની વચ્ચે આવેલી આ ભૂમિ પર સમયાંતરે તમામ શક્તિશાળી દેશોની નજર રહી છે. વધારે જુની વાત ન કરતાં જાણી લઇએ કે 17મી સદીના અંતમાં તિબેટ સાથેના વિવાદને કારણે લદ્દાખે પોતાને ભૂતાન સાથે જોડી દીધું હતું. ત્યારબાદ કાશ્મીરના ડોગરા વંશના શાસકોએ 19મી સદીમાં લદ્દાખને હસ્તગત કરી લીધું હતું. તિબેટ, ભૂતાન, ચીન, બાલ્ટિસ્તાન અને કાશ્મીર સાથેના ઘણા સંઘર્ષો પછી, લદ્દાખ 19મી સદીથી કાશ્મીરનો એક ભાગ રહ્યો.

Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

આ રીતે લદ્દાખ કાશ્મીરનો ભાગ બનીને રહી ગયો

વર્ષ 1834માં મહારાજા રણજીત સિંહના સેનાપતિ જોરાવર સિંહે ડોગરા વંશ માટે લદ્દાખ જીતી લીધું હતું. ત્યારબાદ 1842માં લદ્દાખી વિદ્રોહને પણ કચડી નાખવામાં આવ્યો અને લદ્દાખને ડોગરાઓના જમ્મુ અને કાશ્મીરનો અભિન્ન ભાગ બનાવી દેવામાં આવ્યો. નામગ્યાલ રાજવંશ, જે લદ્દાખના શાસક હતા, તેમને સ્ટોકની જાગીર અને વઝીરે-વઝરતનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. 1850 પછી, લદ્દાખમાં બ્રિટિશ સરકાર અને યુરોપનો રસ વધવા લાગ્યો અને 1885 સુધીમાં લેહને મોરાવિયન ચર્ચના મિશનનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું.

Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

ભારતની આઝાદી સમયની ઘટનાઓ

વર્ષ 1947માં વિભાજનની શરતે ભારતને આઝાદી મળી ત્યારે કાશ્મીરના મહારાજા હરિ સિંહ પાસે બે વિકલ્પ હતા કે તેઓ ભારત કે પાકિસ્તાન સાથે જોડાય. એ જ રીતે, 1948માં પાકિસ્તાની આક્રમણકારોએ લદ્દાખમાં કારગીલ અને ઝંસ્કરમાં ઘૂસીને આ ભાગ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમયસર ભારતીય સૈનિકો આ ભાગથી પાકિસ્તાને તગેડી મૂક્યા. પછી જમ્મુ અને કાશ્મીરે ભારતમાં શરતી વિલીનીકરણની જાહેરાત કરી અને ભારતીય સેનાનો આભાર માન્યો. લદ્દાખ પણ જમ્મુ અને કાશ્મીર રાજ્યના એક ભાગ તરીકે ભારતનો અભિન્ન અંગ બની ગયો.

Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

ફરી ચીનની નજરનો યુગ

વર્ષ 1949માં ચીને નુબ્રા અને શિનજિયાંગ વચ્ચેની સરહદ બંધ કરીને તેલનો વેપાર બંધ કરી દીધો હતો. 1950ના દાયકામાં ચીનની ઘૂસણખોરીએ આ વિસ્તારના તિબેટીયનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. 1962માં ચીને અક્સાઈ ચીન વિસ્તાર પર કબજો કરી લીધો અને તરત જ શિનજિયાંગ અને તિબેટ વચ્ચે રસ્તાઓ બનાવવાનું શરૂ કર્યું. પાકિસ્તાનની સાથે ચીને કારાકોરમ હાઈવે પણ બનાવ્યો છે. અહીં ભારતે શ્રીનગર અને લેહ વચ્ચે એક જ સમયે હાઇવે બનાવ્યો હતો. આ હાઈવે બનવાથી શ્રીનગરથી લેહ જવા માટેનો સમય 16 દિવસથી ઘટાડીને બે દિવસનો થયો.

Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

લદ્દાખ વિશે મહત્વની જાણકારી

લદ્દાખની રાજધાની લેહ છે. ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં બે જિલ્લા છે, જેમાંથી એકનું નામ લેહ અને બીજાનું નામ કારગિલ છે. લદ્દાખનો વિસ્તાર 59,186 ચોરસ કિલોમીટર છે અને 2011 સુધીમાં આ કેન્દ્રશાસિત પ્રદેશની વસ્તી 2,74,289 છે.

લદ્દાખના લોકો મોટાભાગે પ્રવાસીઓ સાથે વાતચીત કરવા માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે, પરંતુ હિન્દી સિવાય તેઓ લદ્દાખી અને તિબેટીયન ભાષાઓ પણ બોલે છે.

લદ્દાખ એક ઉચ્ચ ઉચ્ચપ્રદેશ છે, જેમાંથી મોટાભાગનો હિસ્સો 3,500 મીટર (9,800 ફૂટ)થી ઉંચો છે.

હિમાલય અને કારાકોરમ પર્વતમાળાઓ અને સિંધુ નદીની ઉપરની ખીણમાં ફેલાયેલી છે.

33,554 ચોરસ માઈલમાં ફેલાયેલા લદ્દાખમાં રહેવાની જગ્યા બહુ ઓછી છે. દરેક જગ્યાએ વિશાળ ખડકાળ પર્વતો અને મેદાનો છે.

Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

એવું માનવામાં આવે છે કે લદ્દાખ મૂળરૂપે એક મોટા તળાવનો ડૂબી ગયેલો ભાગ હતો, જે વર્ષોથી ભૌગોલિક ફેરફારોને કારણે લદ્દાખની ખીણ બની ગયું હતું.

લદ્દાખ અને બાલ્ટિસ્તાનનો 18મી સદીમાં જમ્મુ અને કાશ્મીરના ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

લદ્દાખના પૂર્વ ભાગમાં લેહની આસપાસ રહેતા રહેવાસીઓ મુખ્યત્વે તિબેટીયન, બૌદ્ધ અને ભારતીય હિન્દુઓ છે. પરંતુ પશ્ચિમમાં કારગીલની આસપાસની વસ્તી મુખ્યત્વે ભારતીય શિયા મુસ્લિમોની છે.

તિબેટના કબજા દરમિયાન ઘણા તિબેટીઓ અહીં સ્થાયી થયા હતા. ચીન લદ્દાખને તિબેટનો ભાગ માને છે.

સિંધુ નદી લદ્દાખથી પાકિસ્તાનના કરાચી સુધી વહે છે.

Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

પ્રાચીન સમયમાં, લદ્દાખ ઘણા મહત્વપૂર્ણ વેપાર માર્ગોનું મુખ્ય કેન્દ્ર હતું.

લદ્દાખ મધ્ય એશિયા સાથે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. સિલ્ક રૂટની એક શાખા લદ્દાખમાંથી પસાર થતી હતી.

બીજા દેશોમાંથી સેંકડો ઊંટ, ઘોડા, ખચ્ચર, રેશમ અને કાર્પેટ અહીં લાવવામાં આવ્યા હતા. જ્યારે ભારતમાંથી રંગો, મસાલા વગેરેનું વેચાણ થતું હતું.

તિબેટના લોકો પણ યાક પર ઊન, પશ્મિના વગેરે લાદીને લેહ આવતા હતા. અહીંથી તેને કાશ્મીર લાવીને ઉત્તમ શાલ બનાવવામાં આવી હતી.

Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

લદ્દાખમાં જોવાલાયક પર્યટન સ્થળો -

નુબ્રા વેલી, ખારદુંગ લા પાસ, પેંગોંગ લેક, ત્સો કાર લેક, ત્સો મોરીરી લેક, ડિસ્કિટ મોનેસ્ટ્રી, મેગ્નેટિક હિલ, હુન્ડર અને શાંતિ સ્તૂપા લદ્દાખના મુખ્ય આકર્ષણો છે. આ સિવાય તમે ગિલગિટ બાલ્ટિસ્તાનના તુર્તુક, ત્યાક્ષી અને થાંગ (આ ભારતનું સૌથી ઉત્તરીય ગામ છે, જે ભારત-પાક સરહદથી માત્ર 2.2 કિમી દૂર આવેલું છે) જેવા ગામોની મુલાકાત લઈ શકો છો, જે હાલમાં લદ્દાખ જતા પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

શું મારે લદ્દાખની મુલાકાત લેવા પરમિટની જરૂર છે?

હા. લદ્દાખની મુલાકાત લેવા માટે પરમિટ લેવી પડે છે, જે લદ્દાખની ઇનર લાઇન પરમિટ તરીકે ઓળખાય છે.

લદ્દાખ કેવી રીતે પહોંચશો?

રેલ:- કોઈ ટ્રેન સીધી લદ્દાખ જતી નથી. તેનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન જમ્મુ તાવી છે, જે લદ્દાખથી લગભગ 700 કિમી દૂર છે. આનાથી આગળ તમે ટેક્સી અથવા બસ દ્વારા મુસાફરી કરી શકો છો.

માર્ગ દ્વારા:- લદ્દાખ સુધી પહોંચવા માટે બે રસ્તા છે. એક રસ્તો શ્રીનગર થઈને લેહ તરફ જાય છે અને બીજો રસ્તો મનાલી થઈને લેહ તરફ જાય છે. મનાલીથી લેહ જવા માટે રોહતાંગ પાસમાંથી પસાર થવું પડે છે અને શ્રીનગરથી લેહ જવા માટે જોજિલા પાસમાંથી પસાર થવું પડે છે. ઘણા લોકો બાઇક દ્વારા લેહની મુસાફરી કરે છે.

હવાઈ માર્ગઃ- લદ્દાખ હવાઈ માર્ગે પણ પહોંચી શકાય છે. લેહ કુશોક બકુલા રિમ્પોચી અહીંનું મુખ્ય એરપોર્ટ છે, જેના માટે કોઈપણ મોટા શહેરમાંથી સીધી ફ્લાઈટ લઈ શકાય છે.

Photo of શું તમે જાણો છો લદ્દાખનો અર્થ શું થાય? કેવી રીતે બન્યો ભારતનો ભાગ by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads