પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો

Tripoto
Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

પશ્ચિમ બંગાળ ભારતનું ઘણું જ સુંદર અને પ્રમુખ રાજ્ય છે. આ સુંદર રાજ્ય ઉત્તરમાં હિમાલયથી લઇને દક્ષિણમાં બંગાળની ખાડી સુધી ફેલાયેલું છે. પશ્ચિમ બંગાળ તેના સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને ઘણા અદ્ભુત સ્થળો માટે સમગ્ર ભારતમાં એક પ્રસિદ્ધ રાજ્ય માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં હિમાલયથી લઈને બંગાળની ખાડી સુધી ફેલાયેલી ઘણી એવી અજાણી જગ્યાઓ છે, જેના વિશે ઘણા લોકો જાણતા પણ નથી.

પશ્ચિમ બંગાળમાં કોલાઘાટ પણ એક અદ્ભુત સ્થળ છે. આ લેખમાં, અમે તમને કોલાઘાટની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે એકવાર જશો તો તમે પશ્ચિમ બંગાળના અન્ય સ્થળોને ભૂલી જશો.

રૂપનારાયણ નદી (Rupnarayan River)

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

જ્યારે કોલાઘાટના કોઈ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લેવાની વાત આવે છે, તો રૂપનારાયણ નદીનું નામ ચોક્કસપણે પ્રથમ આવે છે. કોલાઘાટ રૂપનારાયણ નદીના કિનારે આવેલું છે.

રૂપનારાયણ નદીના કિનારે ફરવા માટે દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. નદીના કિનારે કિનારે રહેલી હરિયાળીને જોયા પછી તમારું હૃદય પણ આનંદથી ઉછળી પડશે. નદી કિનારે યાયાવર પક્ષીઓ પણ જોવા મળે છે. તમે નદીમાં માછીમારીનો આનંદ પણ લઈ શકો છો.

તમલુક (Tamluk, west bengal)

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

કોલાઘાટથી લગભગ 20 કિમીના અંતરે આવેલું તમલુક ખૂબ જ સુંદર અને ભવ્ય સ્થળ છે. રૂપનારાયણ નદીના કિનારે વસેલું હોવાથી અહીં દરરોજ એક ડઝનથી વધુ પ્રવાસીઓ આવે છે.

તમલુક વિશે એવું કહેવાય છે કે તે પ્રાચીન ભારતમાં એક પ્રખ્યાત વેપાર કેન્દ્ર હતું. તમલુકમાં હાજર બર્ગભીમા મંદિર આસપાસના વિસ્તારોમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ બંગાળમાં પ્રખ્યાત છે. તમલુક તેના સુંદર દ્રશ્યો તેમજ ખુશનુમા હવામાન માટે જાણીતું છે.

કોલાઘાટ બ્રિજ

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

કોલાઘાટ બ્રિજ કોલાઘાટનું આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. આ પુલની સુંદરતા એટલી લોકપ્રિય છે કે તેને જોવા માટે ઘણા લોકો આવે છે. આ પુલ કોલાઘાટને રાજધાની કોલકાતા સાથે જોડે છે.

કોલાઘાટ પુલ રૂપનારાયણ નદી પર બનેલો છે. આવી સ્થિતિમાં પુલ પરથી રૂપનારાયણ નદીના સૌંદર્યને વખાણવાનું મન થાય છે. ઘણા પ્રવાસીઓ અહીં માત્ર ફોટોગ્રાફી માટે આવે છે. અહીંથી તમે કોલાઘાટની હરિયાળીને પણ નિહાળી શકો છો.

કોલાઘાટમાં જોવાલાયક અન્ય સ્થળો

કોલાઘાટમાં મુલાકાત લેવા માટે અન્ય ઘણા શ્રેષ્ઠ સ્થળો છે, જેને તમે એક્સપ્લોર કરી શકો છો. રૂપનારાયણ નદી પર બનેલ કોલાઘાટ થર્મલ પાવર સ્ટેશન, ડેલ્ટી અને કોલાઘાટ રેલ્વે લાઇનને પણ એક્સપ્લોર કરી શકાય છે.

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

કોલાઘાટ કેવી રીતે પહોંચશો?

કોલાઘાટ પહોંચવું ખૂબ જ સરળ છે. આ માટે દેશના કોઈપણ ભાગથી સરળતાથી કોલાઘાટ પહોંચી શકાય છે. આ માટે તમે કોલકાતાથી ટ્રેન પકડીને સીધા કોલાઘાટ રેવાલે સ્ટેશન પહોંચી શકો છો.

આ સિવાય દિઘા અને હલ્દિયાથી બસ, કેબ અથવા લોકલ ટેક્સી દ્વારા કોલાઘાટ પહોંચી શકાય છે.

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

પશ્ચિમ બંગાળમાં જોવાલાયક અન્ય સ્થળો

સિલીગુડી

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

મહાનંદા નદીના કિનારે આવેલું સિલીગુડી એક નાનું હિલ સ્ટેશન છે. આ જગ્યાને 'ગેટવે ટુ નોર્થ ઈસ્ટ ઈન્ડિયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શાંત નગર ચા, લાકડા, સંગીતના દ્રશ્યો, વન્યજીવન અને મઠ (સાલુગારા) માટે પ્રખ્યાત છે. જો તમે પ્રકૃતિની વચ્ચે શાંતિથી બેસવા માંગો છો, તો સિલિગુડી તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. તોરસા નદીના કિનારે આવેલ જલદાપારા રાષ્ટ્રીય ઉદ્યાન સિલીગુડીનું મુખ્ય આકર્ષણ છે. સિલિગુડી જવાનો શ્રેષ્ઠ સમય જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.

સુંદરવન

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

સુંદરવન નેશનલ પાર્ક ભારતના પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જ્યાં તમે વિશ્વના સૌથી મોટા મેન્ગ્રોવ જંગલોમાં જંગલ સફારી પર જઈ શકો છો. આ એક ટાઇગર રિઝર્વ અને બાયોસ્ફિયર રિઝર્વ પણ છે. આ પાર્કમાં મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરિસૃપ પણ જોવા મળે છે, તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. એવો અંદાજ છે કે આ પ્રદેશમાં 400 થી વધુ રોયલ બંગાળ ટાઇગર અને લગભગ 30,000 સ્પોટેડ હરણ છે. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચેનો છે.

કાલિમપોંગ

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

કાલિમપોંગ દાર્જિલિંગના ઉત્તરીય પ્રદેશમાં સ્થિત એક નાનું હિલ સ્ટેશન છે. આ સ્થળ સુંદર ખીણો, બૌદ્ધ મઠો અને તિબેટીયન હસ્તકલા વગેરે માટે ખૂબ જ પ્રખ્યાત છે. કાલિમપોંગ શિવાલિક પર્વતમાળાઓની તળેટીમાં 1250 મીટરની ઊંચાઈએ આવેલું છે. નિયોરા નેશનલ પાર્ક, દેઓલો હિલ, નેચર ઈન્ટરપ્રિટેશન સેન્ટર, પ્રતિમા ટાગોર હાઉસ અને ડૉ ગ્રેહામ હોમ્સ અહીંના મુખ્ય આકર્ષણો છે. આ સ્થળોની મુલાકાત લેવાની સાથે તમે તિસ્તા નદીમાં રિવર રાફ્ટિંગનો આનંદ પણ લઈ શકો છો.

ગંગા સાગર

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

ગંગા સાગર એક ખૂબ જ સુંદર ટાપુ છે, જે બંગાળની ખાડીથી થોડે દૂર આવેલું છે. આ તે જગ્યા છે જ્યાં ગંગા નદી બંગાળની ખાડીને મળે છે. ગંગા સાગરને ધાર્મિક યાત્રાધામ માનવામાં આવે છે. અહીં તમે સૂર્ય અને રેતીની વચ્ચે આરામ કરી શકો છો, અને તમે અહીં પવિત્ર સ્નાન કરતા ઘણા શ્રદ્ધાળુઓને પણ જોઈ શકો છો. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર જળમાં સ્નાન કરવા માટે આવે છે.

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

ગંગાસાગરને લગતી કથાઓ

હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ કપિલ મુનિના રૂપમાં પૃથ્વી પર આવ્યા હતા. તેમણે આ સ્થાન પર પોતાનો આશ્રમ બનાવ્યો અને તપસ્યામાં લીન થઈ ગયા. દરમિયાન પૃથ્વી પરના રાજા સાગર પોતાના કાર્યોથી ઘણું પુણ્ય કમાઈ રહ્યા હતા જેના કારણે દેવતાઓના રાજા ઈન્દ્રને તેનું સિંહાસન ધ્રૂજતું દેખાયું. ઇન્દ્રએ એક યુક્તિ રચીને રાજા સાગરનો બલિદાન ઘોડો ચોરી લીધો અને તેને કપિલ મુનિના આશ્રમ પાસે છોડી દીધો. રાજા સાગરે તેના 60,000 પુત્રોને તે ઘોડો શોધવા મોકલ્યા. જ્યારે રાજા સાગરના પુત્રોને કપિલ મુનિના આશ્રમ પાસે ઘોડો મળ્યો ત્યારે તેઓએ કપિલ મુનિ પર ચોરીનો આરોપ લગાવ્યો.

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

ઈન્દ્રની યુક્તિથી અજાણ કપિલ મુનિ આ ખોટા આરોપથી ગુસ્સે થયા અને તેમણે રાજા સાગરના તમામ પુત્રોને બાળીને રાખ કરી દીધા અને તેમને પાતાળ લોકમાં મોકલી દીધા. જ્યારે કપિલ મુનિને અસલી વાતની ખબર પડી તો તેઓ પોતાનો શ્રાપ પાછો લઈ શક્યા નહીં પરંતુ તેમણે રાજા સાગરના પુત્રોને મોક્ષ મેળવવાનો ઉપાય જણાવ્યો. જો માતા પાર્વતી પાણીના રૂપમાં પૃથ્વી પર અવતરે અને રાજા સાગરના પુત્રોની રાખને સ્પર્શ કરે તો હિંદુ માન્યતાઓ અનુસાર તેમના અંતિમ સંસ્કાર પૂર્ણ થશે અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરી સ્વર્ગમાં જશે.

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

રાજા સાગરના પુત્રોને મોક્ષ આપવા માટે તેમના સંબંધી રાજા ભગીરથે કઠોર તપસ્યા કરી જેથી માતા પાર્વતી પૃથ્વી પર આવ્યા અને અંતે પાર્વતી દેવી ગંગાના રૂપમાં પૃથ્વી પર અવતર્યા અને તેના સ્પર્શથી રાજા સાગરના પુત્રોને મોક્ષની પ્રાપ્તિ થઇ. હિંદુ કેલેન્ડર મુજબ પૃથ્વી પર ગંગાના આગમનની તિથિ ઉત્તરાયણ અથવા મકરસંક્રાતિ છે.આથી જ લાખો લોકો આ દિવસે ગંગાસાગરમાં સ્નાન કરે છે જેથી તેઓ સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે.

શાંતિનિકેતન

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

યાત્રા કરવા લાયક એક આવશ્યક સ્થળ, શાંતિનિકેતન યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનું ભૂતપૂર્વ ઘર છે. શાંતિનિકેતન પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલું એક નાનું શહેર છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સત્તાવાર વેબસાઈટ પર નોંધાયેલી વિગતો અનુસાર, કોલકાતાથી 160 કિમી દૂર શાંતિનિકેતન, મૂળ રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેબેન્દ્રનાથ ટાગોર દ્વારા બાંધવામાં આવેલ આશ્રમ હતું, જ્યાં જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના કોઇપણ વ્યક્તિ આવીને ભગવાનનું ધ્યાન કરી શકે છે. ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક, વિશ્વભારતી, શાંતિનિકેતનમાં માનવતા, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, લલિત કળા, સંગીત, પર્ફોર્મિંગ આર્ટ્સ, શિક્ષણ, કૃષિ વિજ્ઞાન વગેરે શીખવે છે. તેને 1951માં સંસદના અધિનિયમ દ્વારા કેન્દ્રીય યુનિવર્સિટી અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવામાં આવી હતી. વિશ્વભારતી પશ્ચિમ બંગાળની એકમાત્ર કેન્દ્રીય યુનિવર્સિટી છે અને વડાપ્રધાન તેના ચાન્સેલર છે.

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

તમને જણાવી દઈએ કે શાંતિ નિકેતનની સ્થાપના ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર (ઠાકુર)ના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરે 1863માં 07 એકર જમીન પર આશ્રમ તરીકે કરી હતી. જ્યાં પછીથી રવીન્દ્રનાથ ટાગોરે આ યુનિવર્સિટીની સ્થાપના કરી અને તેને વિજ્ઞાનની સાથે કળા અને સંસ્કૃતિના અભ્યાસ માટે એક ઉત્તમ કેન્દ્ર બનાવ્યું. તેની શરૂઆત ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે 1901માં માત્ર 05 વિદ્યાર્થીઓ સાથે કરી હતી. 1921 માં, તેને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો અને આજે છ હજારથી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે.

Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi
Photo of પશ્ચિમ બંગાળની આ જગ્યા પ્રવાસીઓ માટે છે ઘણી ખાસ, જલદી પહોંચો by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads