શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો!

Tripoto
Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

તમે ઘણીવાર પ્રેમીપંખીડાઓને જન્મોજનમ સાથે રહેવા માટે મંદિરોમાં બાધા લેતા જોયા હશે. જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે તેની સાથેનો નાનકડો વિવાદ પણ મનને અસ્વસ્થ કરી નાખે છે. આવી સ્થિતિમાં, તમે તમારા પાર્ટનરને મનાવવા માટે બધું કરવા માટે તૈયાર થઈ જાઓ છો. ઘણી વખત લોકો પોતાના પ્રેમને મનાવવા માટે સાત સમુદ્ર પાર જવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ અમારા મતે તમારે આટલુ બધું કરવાની જરૂર નથી, કારણ કે ભારતમાં એક જ એવી જગ્યા છે, જે કપલ્સ વચ્ચેનું અંતર ઘટાડી શકે છે. સાંભળવામાં કદાચ તમને વિચિત્ર લાગશે, પરંતુ તે બિલકુલ સાચું છે. વાસ્તવમાં આ ચમત્કારી ધોધ મધ્યપ્રદેશમાં છે. જ્યાં સ્નાન કરવાથી પાર્ટનર વચ્ચે બ્રેકઅપ કે છૂટાછેડા થવાથી બચી શકાય છે.

કુંડ વિશે એક દંતકથા -

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

આ કુંડ વિશે એવું માનવામાં આવે છે કે તે લગભગ દોઢસો વર્ષ જૂનું છે, જેમાં ક્યારેય પાણીની કમી નથી થતી. આ કુંડ વિશે બીજી રસપ્રદ વાત એ પણ છે કે તે એક સમયે સિંધિયા રજવાડાની ઉનાળાની રાજધાની હતી. જ્યારે વરસાદ પડે છે, ત્યારે પાણી ખડકોમાંથી પસાર થઈને ઝરણું બનાવે છે. ઝરણાનું પાણી મંદિરની ટોચ પરથી પડે છે અને કુંડમાં જમા થતું જાય છે. આ કુંડ સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે, એક વખત એક પ્રેમી યુગલે અહીં કઠોર તપસ્યા કરી હતી, જેના પછી તેમને એવું વરદાન મળ્યું કે આ કુંડમાં સ્નાન કરનાર દંપતીનો પ્રેમ કાયમ રહેશે. કુંડ વિશે એવું કહેવાય છે કે અહીં સ્નાન કરવાથી પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો મિનિટોમાં જ દૂર થઈ જાય છે અને અંતર દૂર થઈ જાય છે. આ ધોધને ભદૈયા કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ પૂલમાં સ્નાન કરવાથી બે પ્રેમ કરનારા પાર્ટનર્સ વચ્ચે ક્યારેય ઝઘડો થતો નથી. તેથી જ અહીં દૂર-દૂરથી કપલ્સ સ્નાન કરવા આવે છે.

ભદૈયા કુંડના તળિયે ગૌમુખ બનેલું છે, જેમાંથી બારેય મહિના પાણી નીકળતું રહે છે. આ સંદર્ભમાં, એવું કહેવાય છે કે ગાયના મોંમાં પાણી આવવાનો સ્ત્રોત શું છે તે કોઈ જાણી શક્યું નથી. આ પાણી એટલું શુદ્ધ છે કે પહેલા આ પાણીને મોટા કન્ટેનરમાં પેક કરીને વિદેશ લઈ જવામાં આવતું હતું. અહીં આવતા લોકો કહે છે કે ગૌમુખમાંથી નીકળતું પાણી ખૂબ જ ઠંડુ અને સ્વાદિષ્ટ હોય છે.

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

આ ચમત્કારિક ધોધની સાથે તમે શિવપુરીમાં માધવ નેશનલ પાર્ક, મુગલ ગાર્ડન્સ, માધવ વિલાસ પેલેસ, કરેરા પક્ષી અભયારણ્ય, સંખ્યા સાગર તળાવ પણ જોઈ શકો છો.

શિવપુરીમાં જોવાલાયક સ્થળો

સુલતાન ગઢ વોટરફોલ

મુખ્ય શહેરથી લગભગ 50 કિલોમીટરના અંતરે આવેલો સુલતાન ગઢ વોટરફોલ કોઈ સ્વર્ગથી કમ નથી. ચોમાસાની ઋતુમાં આ સ્થળની સુંદરતા ચરમસીમાએ હોય છે. આવી સ્થિતિમાં, તમે સુલ્તાન ગઢ ધોધ જોવા માટે સૌથી પહેલા શિવપુરી જઈ શકો છો. એવું કહેવાય છે કે જ્યારે 50 ફૂટની ઊંચાઈથી ધરતી પર પાણી પડે છે ત્યારે પાણી પરથી આંખો હટાવવાનું મન થતું નથી. અહીં સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નજારો ખૂબ જ સુંદર લાગે છે.

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

માધવ નેશનલ પાર્ક

શિવપુરીમાં ફરવા માટે બીજા નંબરે આવે છે માધવ નેશનલ પાર્ક. કુદરતી ખજાનાથી ભરપૂર આ જગ્યા તેની હરિયાળી માટે પ્રખ્યાત છે. લગભગ 354 ચોરસ માઈલમાં ફેલાયેલું આ સ્થળ એક નહીં પરંતુ હજારો પ્રકારના પશુ-પક્ષીઓ માટે પ્રખ્યાત છે.

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

આ પાર્કમાં તમે જીપ સફારીની મજા માણતા માણતા હરણ, ચિતલ, સાંભર ચિત્તો, વરુ, શિયાળ, જંગલી કૂતરો, જંગલી ભૂંડ વગેરે જેવા અનેક પ્રાણીઓ જોઈ શકો છો.

સંખ્યા સાગર તળાવ

માત્ર ઉત્તરાખંડ કે હિમાચલનું સરોવર જ નહીં પણ શિવપુરીનું સંખ્યા સાગર તળાવ પણ ખૂબ જ લોકપ્રિય છે. ચોમાસા દરમિયાન આ તળાવની સુંદરતા ચરમસીમાએ હોય છે અને દરેક જગ્યાએ હરિયાળી જોવા મળે છે. કહેવાય છે કે ચોમાસા દરમિયાન આ તળાવ અસંખ્ય વન્યજીવો કે પક્ષીઓનું ઘર બની જાય છે. તમને જણાવી દઈએ કે આ તળાવને માધવ સાગર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

શ્રી પછરાઈ તીર્થ

શ્રી પછરાઈ તીર્થ એ જૈન મંદિર છે. પરછાઇ ગામ વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળો ધરાવતું મનમોહક ગામ છે. શ્રી પછરાઈ તીર્થ ભગવાન શીતલનાથને સમર્પિત છે. આ મૂર્તિ અલૌકિક શક્તિથી ભરપૂર માનવામાં આવે છે.

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

છત્રીઓ

શિવપુરીની છત્રીઓ રાજવી સિંધિયા પરિવાર સાથે સંકળાયેલી છે. છત્રીઓ અથવા સ્મારકો એ એક ખાલી કબર છે જે ક્યાંક અસ્તિત્વમાં હોય તેવા વ્યક્તિ માટે બાંધવામાં આવે છે. અહીં સ્થિત છત્રીઓ માત્ર તેમના ઈતિહાસ માટે જ નહીં પરંતુ તેમની કલા અને સ્થાપત્ય માટે પણ જાણીતી છે. આ છત્રીઓ પાસે એક મોટો મુગલ બગીચો પણ આવેલો છે, જ્યારે બીજી બાજુ એક તળાવ પણ છે જે જોવામાં ખૂબ જ સુંદર છે અને ખૂબ મોટું પણ છે.

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

નરવાર કિલ્લો

નરવાર કિલ્લો સતત ચાલતા યુદ્ધો વિશે કેટલીક માહિતી આપે છે. નરવાર કિલ્લો સમુદ્ર સપાટીથી 500 ફૂટની ઉંચાઈ પર આવેલો છે. આ કિલ્લો એક શાહી કિલ્લો છે જેનાથી તમને પ્રદેશના શાહી સામ્રાજ્ય વિશે ખબર પડે છે.

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

મહુઆ શિવ મંદિર

અહીં સ્થિત શિવ મંડપિકા એ એવા કેટલાક સ્મારકોમાંથી એક છે જેને 7મી સદીમાં અડધું બાંધવામાં આવ્યું હતું. આજે પણ આ મંદિર અધૂરું ઊભું છે. અહીં અનેક દેવી-દેવતાઓને પણ કોતરણી દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તે શિવપુરીના પ્રખ્યાત વિસ્તાર મધુમતીમાં સ્થિત છે, જેનો ઉલ્લેખ રન્નોડના શિલાલેખમાં છે.

સિદ્ધેશ્વર મંદિર

આ મંદિર શિવપુરીમાં ભગવાન વિષ્ણુને સમર્પિત એક વિશેષ સ્થાન ધરાવે છે. અહીં ઘણા આધ્યાત્મિક સ્થાનો આવેલા છે, જેમાંથી સિદ્ધેશ્વર મંદિર એક છે. આ મંદિરનું સ્થાપત્ય ખૂબ જ સુંદર છે જ્યાં હિન્દુ ધર્મના અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરમાં ભગવાન વિષ્ણુ, શિવ, રામ, કૃષ્ણમ, પાર્વતી અને લક્ષ્મીની પ્રેરણાદાયી મૂર્તિઓ લાગેલી છે.

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

શિવપુરી કેવી રીતે પહોંચવું -

હવાઈ માર્ગે - ગ્વાલિયર એરપોર્ટ (રાજમાતા વિજયા રાજે સિંધિયા એર ટર્મિનલ) સૌથી નજીકનું એરપોર્ટ છે, અહીંથી શિવપુરી જવા માટે તમને 2 કલાક 48 મિનિટનો સમય લાગશે.

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

રેલ માર્ગે - શિવપુરીનું પોતાનું રેલ્વે સ્ટેશન છે જે દિલ્હી (400 કિમી), ભોપાલ (300 કિમી), ઇન્દોર (400 કિમી) જેવા અન્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.

રોડ દ્વારા - શિવપુરી ભોપાલ (300 કિમી), દિલ્હી (400 કિમી), ઇન્દોર (400 કિમી), ઝાંસી (100 કિમી) અને અન્ય ઘણા શહેરો સાથે રોડ દ્વારા સારી રીતે જોડાયેલું છે.

Photo of શિવપુરીનું ચમત્કારીક ઝરણું, જેમાં ન્હાવાથી દૂર થઇ જાય છે કપલ્સ વચ્ચેનો ઝઘડો! by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads