દ્વારકા - પવિત્ર કૃષ્ણધામ

Tripoto
13th Apr 2023
Day 1

દ્વારકા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો તાલુકો છે. દ્વારકા આ તાલુકાનું મુખ્ય મથક છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની જાહેરાત થઈ ત્યારે આ તાલુકાની ઓખામંડળ તાલુકા તરીકે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારે તેનું નામ દ્વારકા તાલુકો આપવામાં આવ્યું, પરંતુ હજુ ક્યાંક-ક્યાંક તેને ઓખામંડળ તાલુકા તરીકે ઓળખાવવામાં આવે છે.

દ્વારકામાં સ્થિત એક પૌરાણિક કુંડ

Photo of Dwarka by Romin Khunt

પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને મહમૂદ બેગડા દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું.

મંદિર ભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રાધામનો ભાગ છે. આદિ શંકરાચાર્યે, ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો રામેશ્વરમ, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા.

આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર વિષ્ણુનું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.

મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ (નિજ મંદિર અથવા હરિગૃહ) અને અંતરાલ ધરાવે છે.એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે.

દ્વારકાધીશ મુખ્ય મંદિર

Photo of Dwarkadhish Temple by Romin Khunt

   પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને મહમૂદ બેગડા દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રાધામનો ભાગ છે. આદિ શંકરાચાર્યે, ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો રામેશ્વરમ, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર વિષ્ણુનું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ (નિજ મંદિર અથવા હરિગૃહ) અને અંતરાલ ધરાવે છે. એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે.

હિંદુ દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. દુર્વાસા ઋષિ એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા ગંગા નદીને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને મહાભારત મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.

હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન મહમદ બેગડા દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો.

વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.[સંદર્ભ આપો]

આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ મહાભારતના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- હરિયાણા રાજ્યના કુરુક્ષેત્રની ૪૮ કોસ પરિક્રમા, ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરાની વ્રજ પરિક્રમા અને ગુજરાત રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે.

મંદિરની ઉપર ધ્વજ સૂર્ય અને ચંદ્રને બતાવે છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.દિવસમાં પાંચ વખત ધ્વજ બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે. મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું.

દ્વારકાધીશ મંદિર, દ્વારકા
મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર (ઉત્તર પ્રવેશ) ને "મોક્ષ દ્વાર" (મુક્તિનો દરવાજો) કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને "સ્વર્ગ દ્વાર" (સ્વર્ગનો દરવાજો) કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર ૫૬ પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે.મંદિર સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે અને ૫.૦૦ થી ૯.૩૦ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણજન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ (1473-1531) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત, કૃષ્ણના પ્રખર ભક્ત, મીરાંબાઈ, આ મંદિરમાં દેવતામાં વિલિન થઈ ગયા હતા.આ શહેર ભારતના સપ્ત પુરી (ભારતના સાત પવિત્ર શહેરો)માંનું એક છે.

આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો આદિ શંકરાચાર્ય (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં હિન્દુ ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં શિવની કોતરણી છે.

Further Reads